Monday, March 21, 2011

શ્રી કૃષ્ણ શરણં મમ મંત્રનો જાદુ



krishna wallpaper915 શ્રી કૃષ્ણ શરણં મમ મંત્રનો જાદુ
શ્રી કૃષ્ણ શરણં મમ..ના અર્થની વિશેષ જાણકારી..
શ્રી…..ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ…..ના ઉચ્ચારથી સર્વ અપરાધનો નાશ થાય છે.
ષ્ણ…..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ…..ના ઉચ્ચારથી જન્મને બાળી નાખે છે.
ર…..ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં…..ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ…..ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ…..ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.                                                    jay goga jay semoj

Sunday, February 13, 2011

જય જય ગરવી ગુજરાત !



જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

Friday, February 11, 2011

શ્રી શિવ પઞ્ચાક્ષર માલા

શ્રી શિવ પઞ્ચાક્ષર માલા

        इष्टवस्तुमुख्यदानहेतवे नमः शिवाय ।
        दुष्टदैत्यवंशधूमकेतवे नमः शिवाय ।
        सृष्टिरक्षणाय धर्मसेतवे नमः शिवाय ।
        अष्टमूर्तये वृषेन्द्रकेतवे नमः शिवाय ।
ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવનને નમસ્કાર.
        शापदोषखण्डनप्रशस्त ते नमः शिवाय ।
        व्योमकेशदिव्यभव्यरूप ते नमः शिवाय ।
        हिममेदिनीधरेन्द्रचाप ते नमः शिवाय ।
        नाममात्रदग्धसर्वपाप ते नमः शिवाय ।
શાપ અને દોષનો નાશ કરવામાં કુશળ તે શિવને નમસ્કાર. આકાશ જેવાં વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા તે શિવને નમસ્કાર. હિમાલય પર્વતના સોહામણા ઈન્દ્રધનુ જેવાં તે શિવને નમસ્કાર. જેનાં નામમાત્રના જાપથી પાપ નાશ પામે છે તે શિવને નમસ્કાર.
        जन्म मृत्यु घोर दुःख हारिणे नमः शिवाय ।
        चिन्मयैकरूपदेहधारिणे नमः शिवाय ।
        मन्मनोरथावपूर्तिकारिणे नमः शिवाय ।
        सन्मनोगतायकामवैरिणे नमः शिवाय ।
જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દૂર કરનાર શિવને નમસ્કાર. ચિન્મયરૂપ દેહને ધારણ કરનાર શિવને નમસ્કાર. મનના મનોરથ પૂરા કરનાર શિવને નમસ્કાર. શુદ્ધ મનથી જાણી શકાય તેવા અને કામદેવના શત્રુ શિવને નમસ્કાર.
        स्तोक भक्तितोऽपि भक्तपोषिणे नमः शिवाय ।
        माकरन्दसारवर्षिभाषिणे नमः शिवाय ।
        एकबिल्वदानितोडपितोषिणे नमः शिवाय ।
        नैकजन्मपापजालशोषिणे नमः शिवाय ।
અલ્પ ભક્તિથી પણ ભક્તો ઉપર પ્રસન્ન થનાર શિવને નમસ્કાર. મકરન્દનાં મધુર વચનોની વૃષ્ટિ કરનાર શિવને નમસ્કાર. માત્ર એક બીલીપત્રના દાનથી પણ સંતુષ્ટ થનાર શિવને નમસ્કાર. અનેક જન્મોના પાપ સમૂહનો નાશ કરનાર શિવને નમસ્કાર.
        अन्तकान्तकाय पापहारिणे नमः शिवाय ।
        शंतमाय दन्तिचर्मधारिणे नमः शिवाय ।
        संतताश्रितव्यथाविदारिणे नमः शिवाय ।
        जन्तुजातनित्यसौरव्यकारिणे नमः शिवाय ।
કાળના પણ કાળ, પાપ હરનાર શિવને નમસ્કાર. કલ્યાણ કરનાર તથા ગજચર્મને ધારણ કરનાર શિવને નમસ્કાર. સતત આશ્રયે આવનારની વ્યથા વિદારનાર શિવને નમસ્કાર. પ્રાણીમાત્રને નિત્ય સુખ આપનાર શિવને નમસ્કાર.

કૃષ્ણલીલા પ્રસંગ – શ્રીમદ્ ભાગવત

krishana
બાલકૃષ્ણ અને બલરામ થોડા મોટા થયા એટલે ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા. બન્ને ભાઈ તેમના નાના-નાના પગને ગોકુળના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીનો તથા કેડના કંદોરાની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો. તે બન્ને પણ તે અવાજ સાંભળીને ખીલી ઊઠતા. ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ-પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દોડી આવતા.
માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી. તેમનાં સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી. જ્યારે તેમના બન્ને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો તેની સુંદરતા બહુ વધી જતી હતી. માતાઓ તેમને આવતાં જ ખોળામાં લઈને હૃદય-સરસા ચાંપતી અને સ્તનપાન કરાવતી. ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંતવાળા તે બન્નેનાં મુખારવિંદ જોઈ માતાઓ આનંદ પામતી.
જ્યારે રામ અને શ્યામ બન્ને થોડા વધારે મોટા થયા ત્યારે ગોકુલમાં ઘરની બહાર એવી-એવી બાળલીલાઓ કરવા લાગ્યા, જેને ગોપીઓ જોયા જ કરતી. જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછરડાની પૂંછડી પકડી લેતા અને વાછરડાં ડરીને આમ-તેમ ભાગતાં, ત્યારે તે બન્ને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછરડાં તેમને ઘસડતાં ઘસડતાં દોડવા લાગ્યાં. ગોપીઓ તેમના ઘરનાં કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી-હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી.

કનૈયો અને દાઉ બન્ને ખૂબ ચંચળ અને મહાખેલાડી હતા. તેઓ ક્યાંક હરણ, ગાય અને શિંગડાવાળાં પશુઓ પાસે દોડી જતા, તો ક્યાંક ધગધગતા અગ્નિ સાથે રમત કરવા લાગતા. ક્યારેક દાંતથી કરડવાવાળાં કૂતરાં પાસે પહોંચી જતા, તો ક્યારેક નજર ચુકાવીને હાથમાં તલવાર લઈ લેતા. ક્યારેક કૂવામાં કે ખાડામાં પડતાં-પડતાં બચી જતા, ક્યારેક મોર વગેરે પક્ષીઓની પાસે ચાલ્યા જતા અને ક્યારેક કાંટા તરફ ચાલ્યા જતા. માતાઓ તેમને રોકવાનો બહુ પ્રયાસ કરતી, પરંતુ તેમનું કાંઈ ચાલતું નહીં. આવી સ્થિતિમાં તેઓ ઘરનું કામકાજ પણ સંભાળી શકતાં નહીં. તેમનું ચિત્ત બાળકોને ભયપ્રદ વસ્તુઓથી બચાવવાની ચિંતામાં સતત પરોવાયેલું હતું.
એક રાત્રે – પૂર્ણચંદ્રની ચાંદનીથી આંગણું સ્વચ્છ લાગતું હતું. યશોદાજી સાથે ગોપીઓ પણ વાતોમાં ગૂંથાઈ ગઈ હતી. ત્યાં જ રમતા રમતાં શ્રીકૃષ્ણચન્દ્રની નજર આકાશમાંના ચન્દ્ર પર પડી. તેમણે પાછળથી આવીને યશોદા મૈયાનો ઘૂમટો તાણી કાઢ્યો. અને પોતાના કોમળ હાથથી તેમના અંબોડાના વાળ ખેંચીને ખોલવા લાગ્યા અને વારંવાર પીઠ થપથપાવવા લાગ્યા.
‘હું લઈશ…હું લઈશ.’ – કાલી બોલીમાં આટલું જ કહેતા હતા.
જ્યારે માને વાત ન સમજાઈ ત્યારે તેમણે સ્નેહાળ દ્રષ્ટિથી પાસે બેઠેલી ગોપીઓ સામે જોયું. હવે તેઓ વિનયથી, પ્રેમથી ફોસલાવીને, શ્રીકૃષ્ણને પોતાની પાસે લઈ આવી અને બોલી – ‘લાલા, તું શું માગે છે, દૂધ ?’
શ્રીકૃષ્ણ : ‘ના.’
‘શું સરસ દહીં ?’
‘ના.’
‘શું ખુરચન ?’
‘ના.’
‘મલાઈ ?’
‘ના.’
‘તાજું માખણ ?’
‘ના.’
ગોપીઓએ કહ્યું : ‘બેટા ! રિસાઈ ન જા. રડીશ નહીં, જે માગીશ તે આપીશું.’
શ્રીકૃષ્ણે ધીરેથી કહ્યું, ‘મારે ઘરની કોઈ ચીજ નથી જોઈતી.’ અને આંગળી ઉઠાવીને ચન્દ્રમા તરફ સંકેત કર્યો.
ગોપીઓ બોલી, ‘અરે મારા બાપ ! આ કાંઈ માખણનો લોંદો થોડો છે ? અરે…રે, આ અમે કેવી રીતે આપીએ ? આ તો વ્હાલો-વ્હાલો હંસ આકાશના સરોવરમાં તરી રહ્યો છે.’
શ્રીકૃષ્ણ : ‘મારે તો એ જ જોઈએ છે. મારે તેની સાથે રમવું છે. હમણાં જ લાવી આપો. જલ્દી કરો. તે દૂર ચાલ્યો જાય તે પહેલાં જ મને લાવી આપો.’ પછી વધારે હઠ પકડી. જમીન પર પગ પછાડીને ‘આપો આપો’ કહેવા લાગ્યા અને પહેલાંથી પણ વધારે રડવા લાગ્યા.
બીજી ગોપીઓએ કહ્યું, ‘બેટા ! રામ-રામ. આમણે તમને ફોસલાવી દીધા છે. આ રાજહંસ નથી. આ તો આકાશમાં રહેવાવાળો ચન્દ્રમા છે.’
શ્રીકૃષ્ણે હઠ પકડી – ‘મને તો એ જ આપો. તેની સાથે રમવાની મારી બહુ ઈચ્છા છે. હમણાં જ આપો, હમણાં જ આપો.’ જ્યારે બહુ રડવા લાગ્યા ત્યારે યશોદાજીએ ખોળામાં લઈ લીધા અને વ્હાલ કરતાં બોલ્યાં – ‘મારા પ્રાણ ! આ નથી તો રાજહંસ અને ન ચન્દ્રમા છે. છે તો આ માખણ જ. પરંતુ તને આપવા યોગ્ય નથી. જો, તેમાં કાળું-કાળું વિષ લાગેલું છે. તે ઉત્તમ હોવા છતાં તેને કોઈ ખાતું નથી.’
શ્રીકૃષ્ણે કહ્યું – ‘મૈયા ! મૈયા ! આમાં વિષ કેવી રીતે લાગી ગયું ?’ વાત બદલાઈ ગઈ. માએ ખોળામાં લઈ મીઠા-મીઠા શબ્દોમાં કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો. મા-દીકરા વચ્ચે પ્રશ્નોત્તરી શરૂ થઈ.
યશોદા : ‘લાલા ! એક ક્ષીરસાગર છે.’
શ્રીકૃષ્ણ : ‘મા ! એ કેવો છે ?’
યશોદા : ‘બેટા ! આ તો તું જે દૂધ પીએ છે ને, તે દૂધનો જ એક સમુદ્ર છે.’
શ્રી કૃષ્ણ : ‘મા ! કેટલી ગાયોનું દૂધ ભેગું કર્યું હશે, ત્યારે સમુદ્ર બન્યો હશે ?’
યશોદા : ‘કનૈયા ! તે ગાયનું દૂધ નથી.’
શ્રીકૃષ્ણ : ‘અરે મા ! તું મને ફોસલાવી રહી છે. ભલા, ગાય વિના દૂધ હોતું હશે ?’
યશોદા : ‘બેટા ! જેમણે ગાયોમાં દૂધ બનાવ્યું છે, તે ગાય વિના પણ દૂધ બનાવી શકે છે.’
શ્રીકૃષ્ણ : ‘મા ! એ કોણ છે ?’
યશોદા : ‘તે ભગવાન છે. તેમની પાસે કોઈ જઈ શકતું નથી એવો છે.’
શ્રીકૃષ્ણ : ‘સારું, હવે આગળ કહે.’
યશોદા : ‘એકવાર દેવતાઓ અને દૈત્યોમાં લડાઈ થઈ. અસુરોને મોહિત કરવા માટે ભગવાને ક્ષીરસાગરનું મંથન કર્યું, મંદરાચલનો રવૈયો કર્યો, વાસુકિ નાગનું નેતરું. એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો વલોવવા લાગ્યા.’
શ્રીકૃષ્ણ : ‘જેમ ગોપીઓ દહીં વલોવે છે, એમ ને મા ?’
યશોદા : ‘હા બેટા ! તેમાંથી જ કાલકૂટ નામનું વિષ નીકળ્યું.’
શ્રીકૃષ્ણ : ‘મા ! વિષ તો સાપમાં હોય છે, દૂધમાંથી કઈ રીતે નીકળ્યું ?’
યશોદા : ‘બેટા ! જ્યારે શંકર ભગવાને તે વિષ પી લીધું ત્યારે તેના થોડા છાંટા જમીન પર પડ્યા. તે પીને સાપ વિષધર થઈ ગયા. તો બેટા ! ભગવાનની જ એવી કોઈ લીલા છે, જેથી દૂધમાંથી વિષ નીકળ્યું.’
શ્રીકૃષ્ણ : ‘સારું, મા ! એ તો બરાબર છે.’
યશોદા : ‘બેટા ! (ચન્દ્રમા તરફ દેખાડતાં…) આ માખણ પણ તેમાંથી જ નીકળ્યું છે. તેથી થોડું વિષ તેમાં પણ લાગી ગયું. જો, જો, એને જ લોકો કલંક કહે છે. તો મારા પ્રાણ ! તું ઘરનું જ માખણ ખા !
કથા સાંભળતાં-સાંભળતાં શ્યામસુંદરની આંખોમાં નિદ્રા આવી ગઈ અને માએ તેમને પલંગ પર સુવાડી દીધા.

Wednesday, February 9, 2011

jay valinath આ અમારો samaj

આના તો વખાણ કરવા માટે અમારી પાસે શબ્દ નથી
ટુકમા કહુ તો દુનીયા ની આઠમી અજાયબી છે.
તાજ-મહેલ ને પણ ઝાખો પાડે એવી પ્રતીભા,
એફીલ ટાવરથી પણ ઊચી મહત્વકાંક્ષા,
ચીનની દીવાલ કરતા પણ લાંબી દીર્ઘ દ્રસ્ટી,
નાઇગરા ધોધની જેમ વહેતી પ્રામાણીકતા, ઓપેરા હાઉસ કરતા પણ વીશાળ એનુ રદય
અને મેરુ-માલણ કરતા પણ પવીત્ર એનો પ્રેમ.
આની સાથે રહેવુએ જીદગી નો એક લાહવો છે.
બસ હવે અમારો શબ્દ કોશ ખુટી ગયો છે.

માનવતા એ જ ખરો ધમૅ

જગતમા આવેલા પરીવતૅને આપના સમાજમાં પણ અનેક પરીવતૅનો આણ્યા છે. તેથી આપણા સામાજિક, આથિકૅ, અને કૌટુબિક,વ્યવહારો પર ગંભીર અસર પડી છે.મોટા શહેરોની વાત જવા દઈએ પણ નાના નાના ગામડઓમાં આજે બાપ દીકરાના ખોરડાઓ અલગ અલગ જોવા મળે છે.આપણામાં રહેલી માનવતાને મારી નાખી છે.પહેલાના સમયમાં આપણામાં પરોપકારની ભાવના, એકબીજાને સુખ-દુખમાં મદદ કરવાની પરંપરા, સાથ અને સહકાર આપવાની  તત્પરા જોવા મળતી હતી પણ કબનસીબે પૈસાની ભુખ અને સ્વાર્થીપણાએ આપણી ધાર્મિક અને સાંસ્ક્રુતિક પરંપરાને વિસરાવી દીધી છે.
   તાજેતરમાં સુરત- મુંબઇ હાઇવે પર એક મહિલાની લાશ કલાકો સુધી છુંદાયેલી  હાલતમાં પડી રહી હતી . આ અજાણી મહિલાને વહેલી પરોઢે કોઈએ ટક્કર મારી હતી.તે પછી કલાકો સુધી સેંક્ડો વાહનો તેના પરથી પસાર થતા હતા,તેની લાશને છુંદતા જ ગયા, ગાડીઓ પસાર થતી રહી પણ કેટલા નિષ્ઠુર માનવીઓ !!! એક મ્રુત મહિલાની લાશનો મલાજો ના જાળવી શક્યા.કદાચ આપણામાં રહેલી મારે શું? ની ભાવનાએ આપણને નિબૅળ બનાવી દીધા. આપણી હીંદુ સંસ્ક્રુતિ પ્રમાણે નારીને એક શક્તિ ગણી તેનુ માન સન્માન કરીએ છીએ. ઘણા લોકોમાં આજે પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જોવા મળે છે ત્યારે આવુ બેજવાબદાર વર્તન, નિષ્ઠુર વલણ આપણે  કેવા થઇ ગયા છે. આપણી જાત, કહેવાતી પ્રગતિ , વાહ વાહ  અને પ્રતિષ્ઠાને ઝાંખપ અને બટ્ટો લાગી ગયો છે. અકસ્માતના આવા  તો અનેક કિસ્સાઓ વાંચતા રહ્યા છે પરંતુ  આ કિસ્સો સૌથી જુદા પ્રકારનો છે.
       જવાબદારીમાંથી છટકી જવાના અને મારે શુ લેવાદેવા ની પલાયનવાદી વ્રુતિના કારણે આપણે આટલા બધા લાગણી શૂન્ય બની ગયા છે. પૈસાની મોહમાં આપણે સ્વાર્થી અને ગુલામ બની ગયા છે. આપણી સવેદનાઓને બોદી બનાવી દીધી છે. શું આપણી  પાસે કોઇ અજાણી વ્યક્તિના મ્રુત શરીરને  કે તરફડી રહેલા કોઇ અજાણ્યા શરીરને દવાખાના સુધી પહોચડાવાની નૈતિક ફરજ નથી? તેનો મલાજો જાળવવાની ફુરસદ નથી? jay semoj maa